શાંતિ અને માનવાધિકારો માટે જેલમાં બંધ “ નોબેલ “ વિજેતા !!!
આ તમે વાંચતાંહશો એના પંદરેક દિવસ પહેલા 21 મી સપ્ટેમ્બરે ‘ વિશ્વ શાંતિ દિવસ ‘ ઉજવાયો . વિશ્વમાંશાંતિ બની રહે અને લોકો એકબીજા સાથે હળીમળીને રહે ને વિશ્વભરના લોકોમાં શાંતિ જળવાઈરહે એ આ દિવસની ઉજવણીનો મૂળભૂત હેતુ છે . પણ જગતમાં શાંતિ કયા ? રોજ અખબાર ખોલો કેટીવી ન્યૂઝ ચાલુ કરો તો દુનિયાભરમાં કાપાકાપી સિવાય કોઈ વાત છે જ નહીં ? રશિયા યુક્રેનહારે ઝગડી રહ્યું છે તો ચીન ભારત સામે ખાંડાં ખખડાવી રહ્યું છે . દૂર આફ્રિકન દેશોમાંઆંતરવિગ્રહો કોઈ નવી વાત નથી તો આરબદેશોમાં વર્ચસ્વની લડાઈ ચરમસીમા પર છે અને આ બધાવચ્ચે નાગરિકનો મૂળભૂત હક્ક એવી શાંતિ ક્યાંક ખોવાતી જાય છે . માનવાધિકાર જેવી વસ્તુમાત્ર પુસ્તકોમાં શબ્દો બનીને રહી ગઈ છે . એવું નથી કે મને ને તમને શાંતિની ખેવના નથીપણ છે શું કે સત્તા , સંપતિ અને સુપેરિયાલિટીની લડાઈ મને ને તમને શાંતિથી બેસવા નથીદેતી . સંપતિની લડાઇઓ તો ઠીક છે કે એક હદ સુધી આવીને અટકી જતી હોય છે પણ સત્તાની લડાઈઅને સત્તાને લીધે લડાતી લડાઈના શિકાર હું ને તમે વર્ષોથી બનતા આવ્યા છીએ . એવામાં શાંતિનાપ્રયાસોને વેગ આપે એવા કોઈ સમાચારો વાંચવા મળે તો જીવને ટાઢક વળે છે .
અને આવા જ સમાચાર મળ્યા આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારના જાહેર થવા સાથે જ . સી , ઘણીવાર એમ લાગે કે આ એવોર્ડ-ફેવોર્ડ નકામી વસ્તુઓ છે અને માત્ર ને માત્ર પ્રસિધ્ધિ માટે રચાતો ખેલ છે પણ વર્ષ 2023ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતાની વાત વાંચીને એમ થાય કે જો આ એવોર્ડ કે સન્માન આ વ્યક્તિને ના મળ્યું હોત તો કદાચ આપણે એના શાંતિ માટેના સંઘર્ષને ક્યારેય જાણી જ ન શક્યા હોત . જી હા અખબારના કોઈક ખૂણે છપાઈને આંખ સામેથી પસાર થયેલા આ સમાચાર એટલા માટે પણ જાણવા જરૂરી છે કે આજે દુનિયામાં શાંતિ માટેની લડાઈ કયા કયા અને કેવી કેવી કઠિન પરિસ્થિતિમાં પણ લડાઈ રહી છે . તો વાત એમ છે કે નૉર્વેની નોબેલ કમિટીએ ઈરાનની માનવાધિકાર મહિલા કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને વર્ષ 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર આપ્યો છે . તમને કદાચ ‘ ઓક ‘ ટાઈપ લાગતાં આ સમાચારમાં ઘણીબધી વાતો નોંધવા જેવી અને માનવજાતને શાંતિ મેળવવાની મૂળભૂત લાગણીને વેગ આપનારી છે.
નરગિસ મોહમ્મદી ની શાંતિ માટેની કપરી લડાઈ વિષે જાણતા પહેલા એની નોંધ લેવી અગત્યની છે કે નરગિસ મોહમ્મદી એક મહિલા છે અને ઈરાન જેવા ધાર્મિક કટ્ટર દેશમાં શાંતિ માટેની આહલેક જગાવે છે . કરૂણ વાત એ છે કે શાંતિ પુરસ્કારની જાહેરાત વખતે પણ નરગિસ મોહમ્મદી જેલમાં બંધ છે . ગયા નવેમ્બરમાં ઇરાનમાં વર્ષ 2019માં થયેલી હિંસામાં મોત પામેલી મહિલાના સ્મારકની મુલાકાત વખતે ધરપકડ પામીને જેલમાં બંધ થયેલા નરગિસ મોહમ્મદીને જેલમાં એક વર્ષ થવા આવશે . અને એટલે જ એવોર્ડ જાહેર કરતી વખતે નોબેલ સમિતિએ આશા વ્યક્ત કરી છે કે માનવાધિકારની આ લડવૈયાને જલદી જ મુક્તિ મળવી જોઈએ . જો કે જેલ નરગિસ મોહમ્મદી માટે કોઈ નવી વાત નથી . 21 એપ્રિલ 1972 માં જન્મેલ 51 વર્ષની નરગિસ મોહમ્મદીની અત્યાર સુધીમાં 13 વખત એની ધરપકડ થઈ ચૂકી છે અને ટોટલ 31 વર્ષની જેલ સજા અને 154 કોરડાની સજા પણ ફટકારી દેવામાં આવેલી છે એવી નરગિસ મોહમ્મદી મૂળ તો ફિઝિક્સની વિદ્યાર્થી રહી છે અને ઇંજિનિયર છે પણ વિદ્યાર્થીકાળથી જ તેમના લેખો આંતરરાષ્ટ્રીય અખબારોમાં અને યુનિવર્સિટીના મેગેઝીનમાં છપાતા રહ્યા છે આ ઉપરાંત નરગિસ મોહમ્મદી એક પત્રકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને તેમણે રીફોર્મ્સ , ધ સ્ટ્રેટેજી એન્ડ ટેક્ટિક્સ જેવા પોલિટિકલ નિબંધો પણ લખ્યા છે . પોતાના વિદ્યાર્થીકાળમાં પણ શાસન વિરુધ્ધના લેખો માટે જેલ ભોગવી ચૂક્યા છે .
મહિલાઓના અધિકારો માટે નાનીમોટી લડત લડતા નરગિસ મોહમ્મદી એવા સમયે ઇરાનમાં પ્રચલિત થયા કે જ્યારે તેમણે 2003માં ઇરાનના જ આવા જ બીજા નોબેલ પ્રાઇઝ વિજેતા શીરીન એબાદીની અધ્યક્ષતાવાળા માનવાધિકાર સંગઠન ‘ ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઇટ સેન્ટર ‘ જોઇન કર્યું કે જેના તેઓ હાલમાં ઉપાધ્યક્ષ છે . હાલના રાષ્ટ્રપતિની વિવાદિત ચૂંટણી વખતના ટકરાવ પછીથી એબાદીએ ઈરાન છોડ્યા પછીથી હવે નરગિસ મોહમ્મદી જ ઇરાનમાં મહિલાઓના અધિકારોની અને મૃત્યુદંડ નાબૂદ કરવાની લડાઈ એકલપંડે ચલાવી રહ્યા છે . 2011માં જેલમાં બંધ કાર્યકરોના પરિવારોને મદદ કરવાના આરોપસર પહેલીવાર જેલમાં કેદ કરાયેલા નરગિસ મોહમ્મદી આજે પણ એ જ લડાઈ બદલ જેલમાં બંધ છે અને એટલે જ નોબેલ પ્રાઇઝ ડિકલેર કરતી વખતે કમિટીએ આશા વ્યક્ત કરેલી કે શાંતિનો આ સર્વોચ્ચ પુરસ્કાર નરગિસ મોહમ્મદીની માનવતા માટેની લડાઈને સાર્થક કરશે એટલું જ નહીં પણ અમને આશા છે કે ઈરાન સરકાર શાંતિના આ દૂતની લાગણીઓ વિશાળ માનવસમૂહના લાભાર્થે સ્વીકારશે અને દેશમાં શાંતિનો સૂર્યોદય થશે . નરગીસને આ પહેલા 2009 માં પ્રખ્યાત શાંતિ સમર્થક એલેક્ઝાન્ડર ના નામ પર અપાતો એલેક્ઝાન્ડર એવોર્ડ , 2011 માં સ્વીડિશ સરકારનો હ્યુમન રાઇટ એવોર્ડ , 2016 માં હ્યુમન રાઇટ્સ એવોર્ડ સહિત અઢળક એવોર્ડસ મળી ચૂક્યા છે એટલું જ નહીં પણ 2022 માં બીબીસી એ એને વિશ્વની 100 પ્રેરક મહિલાઓમાં પણ સમાવેલી .
. નરગિસ મોહમ્મદીએ 2016 મે મહિનામાં “મૃત્યુદંડની નાબૂદી માટે ઝુંબેશ ચલાવતી માનવ અધિકાર ચળવળ” શરૂ કરી હતી જેનાથી ફફડી ગયેલી સરકારે તેમને 16 વર્ષની સજા ફટકારી છે અને એટલે જ આજે પણ તેહરાનની કુખ્યાત એવિન જેલમાં નરગિસ મોહમ્મદી બંધ છે. એક મહિલા અમીનીની ઈરાનની નૈતિકતા પોલીસ દ્વારા ધરપકડ થઈ અને પછી પોલીસ કસ્ટડીમાં જ એનું મોત થયું એ પછી ઇરાનમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોમાં લગભગ 500 સુરક્ષકર્મી માર્યા ગયા અને લગભગ 22000 જેટલા લોકોની ધરપકડ થઈ . કટ્ટરપંથીઓના દમનની બીક રાખ્યા વગર , જેલમાં જવાનો ડર રાખ્યા વગર શાસન સામે લડનાર નરગિસ મોહમ્મદીની મહત્તા એટલા માટે પણ વધી જાય છે 2010 માં જ્યારે એબાદીને ઑસ્ટ્રિયાનો પ્રતિષ્ઠિત ‘ ફેલિકસ એમાંકોરા હ્યુમન રાઇટ્સ એવોર્ડ ‘ મળ્યો ત્યારે એમણે એમ કહેલું કે મારા કરતાં આ એવોર્ડનું વધુ હકદાર કોઈ હોય તો એ નરગિસ મોહમ્મદી છે . ખેર , વાત અહી એવોર્ડ કરતાં સત્તા અને સત્તાના દમન સામે લાદતી એક નારીની થઈ રહી છે અને આ એવોર્ડ પણ એવી આશા આપી જાય છે કે કોઈ એક દેશમાં ચાલતી લડતની જગતને જાણ થાય . એવોર્ડ સમિતિએ એ પણ કહ્યું છે કે એવોર્ડથી આ લડતને કેટલો ફાયદો થશે એ ખબર નથી પણ આ એવોર્ડ આ લડતને માન્યતા જરૂર આપશે એ નક્કી છે અને વિશ્વપ્રસિધ્ધ આ એવોર્ડની અસર સરકાર પર પણ પડવી જ જોઈએ એવી આશા છે . નોબેલ કમિટી તો ત્યાં સુધી કહે છે કે નરગિસ મોહમ્મદીની લડતને માન્યતા આપીને એમને જેલમુક્ત કરવા જોઈએ કે જેથી ડિસેમ્બરમાં યોજાનારી એવોર્ડ સેરેમનીમાં હજાર રહીને એ આ ગૌરવવંત પુરસ્કાર મેળવીને માનવજાતને શાંતિ માટેની જંગ જારી રાખવાની આશા જગાડી શકે . ..!!!!! (akurjt@gmail.com )
વિસામો : |
વર્ષ 2023 નો મેડિસન માટેનો નોબેલ પુરસ્કાર કેટલિન કેરિકો અને ડ્રુ વેઇસમેનને મળ્યો . તેમણે mRNA ટેકનોલોજી ની શોધ કરી કે જેને લીધે કોરોનાની રસી બની અને આપણે કાળમુખા કોરોના સામે લડત કરવામાં સફળ રહ્યા .
image courtesy : hindustan news hub