તું અપને દિલકી જવા ધડકનો કો ગીન કે બતા , મેરી તરહ તેરા દિલ બેકરાર હૈ કી નહિ !!
‘ સુનતે હૈ મિલ જાતી હૈ હર ચીઝ દુઆ સે , ઇક રોજ તુમ્હે માંગકે દેખેંગે ખુદા સે ..”….”તુમકો દેખા તો યે ખ્યાલ આયા , જિંદગી ધૂપ તુમ ઘના છાયા ..’…..કૌન કહેતા હૈ મુહોબ્બત કી જુબાં હોતી હૈ , યહ હકીકત તો નિગાહો સે બયા હોતી હૈ ‘…મુજ્મે જો કુછ અચ્છા હૈ સબ ઉસકા હૈ , મેરા જીતના ચર્ચા હૈ સબ ઉસકા હૈ ‘… ‘ ઝુકી ઝુકી સી નજર બેકરાર હૈ કી નહિ , દબા દબા હી સહી દિલમે પ્યાર હૈ કી નહિ ‘…..શરૂઆતી શબ્દો વાંચીને એટલું તો સમજી ગયા હશો કે વાત પ્યાર …પ્રેમ…ઈશ્ક…મહોબ્બત…લવ ની થઇ રહી છે અને લાવની આ વાત થવાના એક નહિ પણ બે કારણ હાથવગા છે આ અઠવાડિયે…!!!! કારણ નંબર ૧ : આ તમે વાંચતા હશો એના એક દિવસ પહેલા મખમલી અવાજના માલિક અને મૃત્યુ પછી પણ ગઝલ ચાહકોના દિલમાં સદાય જીવંત એવા જગજીતસિંહનો જન્મદિવસ હતો . અને કારણ નંબર ૨ પણ જગજીત સાથે જ જોડાયેલું છે અને એ છે કે આજથી પાંચ દિવસ પછી છે વેલેન્ટાઇન ડે ,,,બોલે તો પ્રેમની અભિવ્યક્તિનો અવસર …!!! અને ઉપર લખી એ અને એવી અનેકો ગઝલોમાં જગજીતે પ્યાર ..પ્રેમ..ઈઝહાર..વિરહના એવા રંગો રજુ કર્યા છે કે આજે પણ પ્રેમી-આશિક માટે આ ગઝલો – આ ગીતો પ્રસ્તુત છે …વેલેન્ટાઇન વિક હોય કે ના હોય તો પણ ..!!!
હવે જો એવો પ્રશ્ન ઉઠે કે આ બન્નેનું જોડાણ કઈ રીતે તો સુજ્ઞ નિવેદનને કે જગજીતના નિધનને આજે એક દાયકો થવા આવ્યો છે છતાં પણ કોઈ ગમી જવાના સમયે ……પ્યારમાં પડવાના સમયે કે પછી પ્યાર તૂટવાના સમયે જો કોઈની ગઝલ…કોઈનો અવાજ સતત તમારી સાથે રહેતો હોય તો એ છે જગજીત …!!! જગજીતે પ્યાર થવાથી લઈને પ્યાર તુટવા કે પ્યારમાં રહેવા સુધીની અસંખ્ય ગઝલો ગાઈ અને ચાહકો આજે પણ જગજીતની ગઝલો સાંભળે છે ….ઈનફેક્ટ જગજીત ગઝલ ગાયકીનો એકમાત્ર એવો અવાજ હતો કે જેણે ગઝલ ગાયકીમાં નવા પરિમાણો ઉમેર્યા. ગઝલને સામાન્ય માણસ – ગઝલપ્રેમી સુધી પહોચાડવાનું શ્રેય જગજીતને જ જાય છે એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહિ . જગજીતને ગઝલકિંગ – ગઝલસમ્રાટ કહેવાનું એક કારણ એ પણ છે કે એના પહેલા ગઝલ માત્ર ઉર્દુ જાણતા લોકો સુધી જ સીમિત હતી , જગજીતે આ ગઝલોને સામાન્ય ગઝલ ચાહક પણ સમજી શકે એ ભાષા અને એ અંદાજમાં રજુ કરી એટલું જ નહિ પણ ગઝલની રજુઆતમાં પણ નવીનતા લાવીને ગઝલના સંગીતમાં ભારતીય અને પશ્ચિમી સંગીતનો ઉપયોગ કર્યો .
‘ મુદ્દત મેં વો ફિર તાજા મુલાકાત કા આલમ , ખામોશ અદાઓમે વો જજબાત કા આલમ ‘ લલકારતા જગજીતે ગમતી પ્રિયતમાના ઘર પાસે કલાકો સુધી સાઈકલની ચેઈન ઉતરવાના બહાને કે વ્હીલમાંથી હવા નીકળી ગઈના બહાને લઈને કલાકો ફિલ્ડીંગ ભરી હતી . જગજીત પછીથી તો સાઈકલથી બાઈક પર આવી ગયા પણ એ સિલસિલો ચાલુ રહ્યો . જો કે તપસ્યાનો અંત અંતે તો નાકામીમાં જ આવ્યો . જો કે એવી જ નાકામી પછીથી પત્ની બનેલી ચિત્રસિંહને પણ લાગેલી. જ્યારે ચિત્રાસિંઘે પ્રથમ વાર જગજીતને સાંભળ્યા તો એને જગજીત કી આવાજ કુછ ખાસ જમી નહિ . જો કે ગઝલના ક્ષેત્રમાં એ પછીથી જગજીત-ચિત્રાની જોડીએ અનેક સુમધુર ગઝલોની હારમાળા સર્જી દીધી . જો કે યુવાન અને એકમાત્ર પુત્ર વિવેકના અકાળે અકસ્માતમાં મોતે આ સુરીલી બેલડીનો અવાજ છીનવી લીધો. જગજીત તો આ કારમાં આઘાતમાં એકાદ વર્ષ સુધી ગાયકીથી દુર જ રહ્યા પણ પત્ની ચિત્રાનો તો કંઠ જ રૂંધાઇ ગયો અને કારકિર્દીની ટોચ પર હોવા છતાં અને ગઝલરસીયાઓની અનેકો વિનંતી છતાં એ પછી ચિત્રા એ ગઝલ ગાયકીને સદાય માટે અલવિદા કરી દીધી . જગજીતે તો એકાદ વર્ષ પછી ગઝલ ફરીથી ગાવાનું શરુ કર્યું પણ એમના મોત સુધી એમના અવાજ અને વાતોમાં દીકરો ગુમાવવાનું દર્દ સદાય રહ્યું અને ‘ ચિઠ્ઠી ના કોઈ સંદેશ જાને વો કૌન સે દેશ તુમ ચલે ગયે ‘ નો પડઘો પડતો રહ્યો .
ખેર વાત વેલેન્ટાઇન વીકની ચાલી રહી છે તો જગજીતની ગઝલોથી વધુ સારો ગુલદસ્તો કયો હોઈ શકે ? પ્રિયતમાના આગમનને વધાવવા ‘ તેરે આને કી જબ ખબર મહેકે , તેરે ખુશ્બુ સે સારા ઘર મહેકે ‘ ( નવાજ દેવબંદી ) ….કે પછી પ્રેમ અને જિંદગીની ભેળસેળને આબાદ વર્ણવતી ’ હોશવાલો કો ખબર ક્યાં બેખુદી ક્યાં ચીજ હૈ , ઈશ્ક કીજે ફિર સમજીયે જિંદગી ક્યાં ચીજ હૈ ‘. ( નીદા ફાજલી ) ગઝલ હોય કે અલ્ટીમેટ ક્લાસિક ‘ તુમ ઇતના જો મુસ્કુરા રહે હો , ક્યાં ગમ હૈ જિસકી છુપા રહે હો ‘.( કૈફી આઝમી ) ..’ ‘… કે પહેલા પ્યારના ઈજ્હારની મીઠી મુંજવણ .’ પ્યાર કા પહેલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ , નયે પરીન્દો કો ઉડને મેં વક્ત તો લગતા હૈ ‘.( હસ્તીમલ હસ્તી ). કે પછી મહેબુબાના પ્રથમ દર્શન વખતના ઉદગાર .’ આપકો દેખકર દેખતા રહ ગયા , ક્યા કહું ઔર કહેને કો ક્યા રહ ગયા ‘( વસીમ બરેલવી )…’ કે પછી ‘ તેરા ચહેરા કિતના સુહાના લગતા હૈ , તેરે આગે ચાંદ પુરાના લગતા હૈ ‘ માં વ્યક્ત થતી મહેબુબાના ચહેરાની સુંદરતા .કે પ્રણયભગ્ન થયા પછી પણ ચારેકોર દેખાતી અને અનુભવાતી મહેબુબની યાદ માટે ‘ તુમ યે કૈસે જુદા હો ગયે , હર તરફ હર જગહ હો ગયે ‘ અને ‘ કહી કહી સે હર ચહેરા તુમ જૈસા લગતા હૈ , તુમ કો નાં ભૂલ પાયેંગે હમ ઐસા લગતા હૈ ( નિદા ફાજલી ) અને એવી જ કૈક દર્દીલી વાત ..’ વો ઇક હી તો ચહેરા નહિ સારે જમાનેમેં , જો દુર હૈ વો દિલસે ઉતર કયો નહિ જાતા “..!!! છે ને એક થી એક ચડિયાતી નઝમ પ્રેમ…દિલ કે દીવાના ની ..!!!
જગજીતે ગાયેલા ‘ હોઠો સે છું લો તુમ , મેરા ગીત અમર કર દો ‘ જેવા પ્રણયગીટોની સાથે સાથે જિંદગીના બીજા રંગો પણ સુપેરે રજુ કર્યા . માનવમન અને એની એકલતાની વાત કહેતી ‘ હર તરફ હર જગહ બેશુમાર આદમી , ફિર ભી તન્હાઈઓકા શિકાર આદમી ‘ ( નીદા ફાજલી ) કે ઓલટાઈમ હીટ ‘ યે દોલત ભી લે લો એ શોહરત ભી લે લો , ભલે છીન લો મુજસે મેરી જવાની , મગર મુજકો લૌટા દો વો બચપન કા સાવન વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની ‘.( સુદર્શન કાફિર )….’ કે માની યાદ માં મૈ રોયા પરદેશમેં ભીગા માં કા પ્યાર , દુખ ને દુખ સે બાત કી બિન ચિઠ્ઠી બિન તાર ‘ ( નીદા ફાજલી ) ..’ કે પછી કદાચ પુત્ર ગુમાવ્યાના દુખને ભુલાવીને કર્મની રજૂઆત કરતું ‘ તન્હા તન્હા હમ રો લેંગે મેહફીલ મેહફીલ ગાયેંગે , જબ તક આંસુ પાસ રહેંગે તબ તક ગીત સુનાયેંગે ‘ ( નીદા ફાજલી )… …લીસ્ટ લાંબુ થઇ શકે એમ છે અને જગજીતના ચાહકો માટે તો ઉપર લખ્યા એ ગઝલનુમા શબ્દો ઓછા જ પડવાના પણ પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિનો અવસર નજીકમાં જ છે ત્યારે પ્રેમ…વિરહ …આકર્ષણ …અફસોસ…જેવા રંગોથી જગજીતે સજાવેલી અને એના પંજાબી ટચવાળા મખમલી અવાજમાં ગાયેલી ગઝલો જગજીતના જન્મદિવસ અને વેલેન્ટાઇન વેળાએ આજે પણ પ્રસ્તુત છે …કર્ણમધુર છે ….!!!!